ગુજરાતી સમાજમાં અને આમ જોઈઓ તો સારા ભારતીય સમાજમાં પાછલી ઉંમરે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લોકો 'સિલ્વર ડિવોર્સ' કહે છે.
ચાલો જાણીએ તેના કારણો - હવે શું બદલાયું છે?
૪૦-૫૦ પહેલા જે વિચાર પણ કરી શકતા નહીં, તે 'સિલ્વર ડિવોર્સ' - આજે હકીકતમાં થઇ રહ્યા છે.
👍 પાછલા ૨૫-૫૦ વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું, ભૌતિક બદલાવની સાથે-સાથે લોકોની માનસિકતા પણ બદલાય ગઈ.
👍 વધુને વધુ લોકો લગ્નજીવન કરતા મનની શાંતિને વધુ મહત્વ આપવા લાગ્યા.
👍 મને-ક-મને કે રોજ-રોજ ઝઘડા કરીને લગ્નજીવન નિભાવવા કરતા અલગ થઇને શાંતિથી એકલા જીવન વિતાવવું પસંદ કરવા લાગ્યા.
👍 સ્ત્રીઓ અને પુરુષો બંને આર્થિક રીતે સધ્ધર થવા લાગ્યા કે નિવૃત જીવનનું પ્લાનિંગ કરવા લાગ્યા - જેથી માત્ર આર્થિક સહારા માટે લગ્નજીવન ટકાવી રાખવું જરૂરી ના રહ્યું.
👍 સ્ત્રીઓને જે સમાજમાં એકલા રહેવા નો ડર હતો તે ઓછો થઇ ગયો, ખુલ્લા વિચારોવાળા પરિવારોમાં તો પિયરમાં પણ જગ્યા મળવા લાગી.
👍 છૂટાછેડાની જે સામાજિક છબી હતી તે બદલાવા લાગી, છૂટાછેડા લેનારા લોકોને સામાજિક સંકોચ ઓછો થયો.
👍 બાળકો પણ છુટાછેડા લીધેલા માં કે પિતાને સાથે રાખવા લાગ્યા, દીકરીઓ પણ પગભર થતા પોતાના માતા કે પિતાને જરૂર પડે સહારો આપી શકે.
👍 ભણતર અને ટેક્નોલીજીએ લોકોને જ્ઞાન સાથે-સાથે, આત્મ-સમ્માન, શાંતિનું મહત્વ, પસંદ-નાપસંદ, વિચારો, વક્તિત્વ પણ આપ્યું.
દરેક સિક્કાની બે બાજુ હોય: જેમ ફાયદાઓ હોય તેમ નુકસાન પણ હોય.
👎 જેમ વિકાસ થવાથી આ બધી જાગૃતિ આવી તેમ અધૂરા જ્ઞાન વાળા લોકો એનો દુરુપયોગ પણ કરવા લાગ્યા.
👎 સ્ત્રીઓ અને પુરુષો બંને લગ્ન ને એક શાકભાજી જેટલું જ મહત્વ આપવા લાગ્યા, એક નાનો અમસ્તો પ્રોબ્લેમ આવ્યો કે અલગ થઇ ગયા, સમજણથી સંબંધો સુધારવાના કે જતું કરવાના પ્રયત્નો બંધ થયા.
👎 કાયદાઓ સ્ત્રી તરફી હોવાથી, સ્ત્રીઓ નિજી લાભ માટે કે પૈસા પડાવવા માટે પુરુષોને લગ્નજાળમાં ફસાવી - છૂટાછેડા કરવા લાગી.
ક્યાં કારણોથી આ 'સિલ્વર ડિવોર્સ' થાય છે?
👎 માનસિક તણાવ - મુખ્ય કારણ જીવનમાં વધતા જતા તણાવ જ હોય છે. વધતી ઉમર સાથે થતા શારીરિક ફેરફારો એ તણાવને સહનશક્તિ અને કાર્યક્ષમતા બંને ઘટાડે છે.
વધતી જતી જવાબદારીઓ એ બધી મુશ્કેલીઓ માં વધારો કરે છે.
👎 અણગમતા જીવનસાથી - જ્યાં સુધી શારીરિક આકર્ષણ હોય ત્યાં સુધીમાં બાળકો થઇ જાય અને પછી બાળકોની જવાબદારી પુરી કરવા સાથે રહે. જેવા બાળકો પરિપક્વ થઇ જાય, માતા-પિતા અલગ થઇ જાય.
👎 શારીરિક બદલાવ - મધ્ય એજમાં જયારે હોર્મોન બદલાય ત્યારે સ્ત્રીઓ અને પુરુષો બંને ઇમોશનલી નાજુક પરિસ્થિતિમાંથી ગુજરે છે, ખાસ કરીને સ્ત્રીઓ.
સ્ત્રીઓ જયારે મેનોપોઝની નજીક આવે ત્યારે, ચીડિયાપણું, થાક, વજન વધારો, શારીરિક સંબંધો પ્રત્યે ઘટતી રુચિ વગેરે વધી જાય છે.
મધ્ય એજમાં થતા આ બદલાવથી જો પતિ અને પત્ની બંને અજાણ હોય તો એક બીજાને સમજી શકતા નથી, મદદ કરવાને બદલે અલગ થવાનું પસંદ કરે છે.
👎 બાળકો - ક્યારેક તો પતિ- પત્ની એના પોતાના બાળકોના કારણે અલગ થાય છે. બાળકો પોતાના સ્વાર્થ પ્રમાણે માતા-પિતાને ઈમોશનલ બ્લેકમેઇલ કરી - અલગ કરવાનું કારણ બને છે.
સિલ્વર ડિવોર્સને ઘટાડવાના ઉપાયો:
વધતી ઉંમરે જીવનના તણાવને નિવારી શકાય તો સિલ્વર ડિવોર્સ કઈંક અંશે ઓછા તો કરી જ શકાય.
👉 પતિ કે પત્ની પાસેથી ૨૦-૨૫ વરસ પહેલા જેટલી અપેક્ષા ના રાખો, જેમ તમે પહેલા જેટલા યંગ નથી રહ્યા તેમ જ તે પણ નથી રહ્યા.
👉 પત્ની ૫૦ વરસની ઉમર પહેલા અને પતિ ૬૦ વરસના થાય તે પહેલા, બંનેની મુખ્ય જવાદારીઓ પુરી કરી લેવી કે તેની વ્યવસ્થા કરી લેવી.
👉 કામ-કાજનું ભારણ અને વહેવારની દોડધામ પણ ઓછી કરી નાખવી, બને તેટલું સંતાનો ઉપર છોડી દેવું.
👉 નિવૃત જીવન માટે પણ બચત અને પ્લાનિંગ કરી લેવા.
👉 જીવનસાથીને થોડી સ્પેસ આપો, બદલાતા શરીર સાથે વધારે તણાવ કે ટંક-ટંક હાનિકારક નીવડે.
👉 હેલ્થ ઇન્સ્યોરન્સના વિકલ્પો પણ યોગ્ય લાગે તો વિચારી શકાય.
ભારતીય પ્રથાથી વિપરીત રીત
🤔 વિકસિત દેશોમાં આ સમસ્યા બહુ નથી જોવા મળતી, ઉલ્ટું ત્યાં તો પાછલી ઉંમરે કંપેનિઅન - સાથી ગોતે.
🤔 એ લોકો પહેલા ડેટિંગ કે લિવ ઈન માં ૨૮-૩૦ના તો થઇ જાય, પછી બાળકોને પણ બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ સાથે કે સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરે.
🤔 સરકારી સહાય મળે અને ધોરણ ૧૨ સુધી ભણતર તદ્દન મફત હોય એટલે - એ બહુ મુશ્કેલ નથી.
🤔 સંતાનોને ભણાવી લે એટલે માતા-પિતાની ફરજ પુરી, પછી બાળકો જાતે જ જુદા થઇ જાય.
🤔 માતા કે પિતા બાળકોની બધી જવાદારીઓ પુરી થયા પછી કંપેનિઅન ગોતે, નિવૃત જીવન સાથે વિતાવે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો