ઝાડા - ઉલ્ટીની પ્રાથમિક સારવાર



           પાણીજન્ય રોગ

          હાલમાં ૪૫%થી વધારે રોગો પાણીજન્ય છે જે અશુદ્ધ પાણીથી થાય છે. ઘણાબધા રોગો જેવા કે અપચો, કબજિયાત, ઝાડા, ઉલ્ટી, પથરી, કુપોષણ ઉપરાંત એનિમિયા પણ પાણીજન્ય રોગો સાથે સંકળાયેલા છે.

          અશુદ્ધ પીવાના પાણીની પાચનતંત્ર ઉપર અસર


         અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. 

          આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. 

         આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે. 

          કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.

          આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું  કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે.  

          આ સૂક્ષ્મજીવો યુક્ત પાણી જયારે પીવાના પાણીના સંગ્રહ સ્થાન સાથે મળી જાય છે એટલે કે આ પાણી જો પીવાના પાણીના કુવામાં જવતું હોય તો પણ આ બધા સૂક્ષ્મજીવો પીવાના પાણીમાં મળી જાય છે.

         ઝાડા-ઉલટીની સારવારની ઘણી રીતો છે, એમાંથી મેં વાપરેલી ત્રણ રીત જણાવીશ.

         🌿 ઝાડા ઉલટીની પ્રાથમિક સારવાર

       આ વાઇરસ પેહેલા તો પાચનતંત્રમાં રહેલો બધો ખોરાક બહાર કાઢે છે. અને સાથે સાથે પાણી પણ નીકળી જાય છે. 

         💧આથી દર્દીએ પહેલા તો બધા કામ-કાજ મૂકી થોડો આરામ કરવો, પાણી નીકળી જવાથી ચક્કર આવવાની કે પડી જવાનની શક્યતા રહે.

         💧એક વખત પેટ સાફ થઇ ગયા પછી, ૨ થી ૩ કલાક માં ધીમે ધીમે પાણી પીવું. એક ચમચો પાણી પી ને ૨૦ મિનિટ રાહ જોવી, જો એ પેટમાં ટકે તો ફરી એક ચમચો પાણી પીવું. પહેલું કામ છે પાચનતંત્રને શાંત કરવાનું. 

          💧એક વખત પાણી સ્થિર થાય પછી થોડું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યૂશન જેને ઓ. આર. એસ. કહે છે તે લેવું. 

         💧જો તે સોલ્યૂશન ના મળી શકે તો ઘરે પણ આ ઘોલ બનાવી શકાય. એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું અને અડધી નાની ચમચી ખાંડ ઓગાળી ને.

         💧જ્યાં સુધી પાણી પેટમાં ન રહે ત્યાં સુધી બીજો કોઈ ખોરાક ના લેવો. પહેલી બે કલાક પાણી ને પેટમાં ટકાવવાની કોશિશ કરવી.

         💧પાણી રહે પછી, રોટલીનું કોરું શાક, સૂકી વઘારેલી - બહુ જ ઓછા તેલ માં હળદર અને જરા નિમક સાથે. એકદમ પાપડ જેવી શેકીને થોડી થોડી જેમ પેટમાં ટકે તેમ લઇ શકાય.

         💧જો ફરી ગરબડ જેવું લાગે તો, કલાક પાણી ઉપર રહી પેટને શાંત કરવું. એક વખત સૂકી રોટલી ટકે પછી એક-બે ચમચા ખીચડી -દહીં જીરા સાથે લઇ શકાય. બીજો બધો ખોરાક બીજા દિવસેથી એક પછી એક ચાલુ કરવો. 

         💧૩-૪ દિવસ પાચનશક્તિ પાર જોર પડે એવા ખોરાકથી દૂર રહેવું, જેવા કે દૂધ, કઠોળ, ચણાના લોટની વસ્તુઓ, વગેરે.

બે દિવસમાં આ બધા ઉપાયો કરવા છતાં ન ફરક પડે અથવા તાવ પણ ચાલુ થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.         

        🌿આયુર્વેદિક રીતે સારવાર:

વાયરલ ઇન્ફેક્શનથી થતા પેટના રોગ (સ્ટમક બગ) વિશે વાત કરીએ તો, તેને રોકવા કેટલીક અસરકારક રીતો છે.

1. સ્વચ્છતા જાળવવી

  • ખાવા-પીવાના પહેલા અને પછી હાથ ઘોવાં
  • અશુદ્ધ પાણી અને ગંદા ખોરાકથી દૂર રહેવું
  • ઘર અને રસોઈના સાધનો સ્વચ્છ રાખવા

2. ખોરાક અને પાણીનું ધ્યાન

  • તુલસી અથવા અજમાના પાણી – વાયરસ સામે લડવામાં સહાય કરે
  • સુંઠ અને મધ – પાચન સુધારવા અને પેટને શાંતિ આપવા
  • મીઠા-લીંબૂ પાણી – દેહમાં પાણી-ક્ષતિ અટકાવવા

3. આરામ અને પાચન સંભાળ

  • હળવો અને પાચન-સહજ ખોરાક ખાવું (ખીચડી, કેળું, દહીં)
  • જરુરી આરામ લેવો, તણાવ ઓછો રાખવો
  • શરીરમાં ઊર્જા પુરી કરવા હળવું આહાર

4. આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર

  • જીરું અને ગરમ પાણી – પેટ માટે ઉત્તમ
  • વસાનો લાવી (Bael fruit) – ડાયરીયા રોકે
  • તુલસી અને મરી પાઉડર – પ્રાકૃતિક રોગપ્રતિકારક પધ્ધતિ

        🌿આજકાલની રીતે સારવાર:

આજકાલ પેટના વાયરસની સારવારમાં બ્રાટ ડાયેટ પણ વપરાય છે.

         BRAT ડાયટ શું છે?

બ્રાટ ડાયેટ એ અમેરિકાની જૂની અને જાણીતી રીત છે, પેટના વાયરસની સારવાર માટે.

BRAT શબ્દ ચાર ખોરાકના નામથી બનેલ છે:

  • Banana (કેળું) – પાચન માટે સરળ અને પેટ શાંતિ રાખે

  • Rice (ભાત) – હળવાં કાર્બોહાઈડ્રેટ્સ, પાચન માટે ઉત્તમ

  • Apple sauce (સફરજનનો રસ) – વિટામિન્સ સાથે પેટ માટે હળવો

  • Toast (ટોસ્ટ) – વધુ તેલ વગર હલકી આહાર વસ્તુ

પેટની તકલીફ માટે કેમ કામ કરે છે?
આ ખોરાકો હળવા અને સરળતાથી પચી શકે એવા છે, જે ડાયરીયા અને ઉલટી પછી શરીરને ઊર્જા પુરી પાડે છે. તે પેટ પર ઓછું બોજું નાખે છે અને ધીમે ધીમે પાચન વ્યવસ્થા નોર્મલ કરવામાં મદદ કરે છે.

BRAT ડાયટ સાથે અન્ય સહાયકારક પધ્ધતિઓ

  • પૂરતું પાણી અને લીંબૂ પાણી સેવન—ડિહાઇડ્રેશન અટકાવવા

  • હળવા ખોરાક લેવા અને ધીમે ધીમે રેગ્યુલર ડાયટ પર પાછા આવવું

  • તડકા અને મસાલા વાળા ખોરાક ટાળવો

આમ જોઈએ તો આ બધી રીતો એક સરખી છે, બસ હળવા ખોરાકના ઉદાહરણો જુદા જુદા છે. 

જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય