પહેલું સુખ તે જાતે નર્યા!
પાચનતંત્ર
વાયરસ
અશુદ્ધ
પાણી
રોગોને
અટકાવવા એ સારવાર કરતા વધારે અસરકારક
એનિમિયા
આપણું આરોગ્ય સારું હોય તો જ આપણે બીજાને મદદ કરી શકીએ તે જ રીતે આપણું મન સ્વસ્થ હોય તો જ આપણે બીજાનું હિત વિચારી શકીએ.
આરોગ્યના પ્રકાર:
સંપૂર્ણ આરોગ્ય બે પ્રકારના આરોગ્યથી બને: શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્ય. શારીરિક આરોગ્ય ની ચકાસણી એટલે કે તમારા શરીરની ઉર્જા - શક્તિ શરીરમાં રહેલા દોષો, રોગો કે અંગોની પરિસ્થિતિ નો ચિતાર.
શારીરિક આરોગ્ય બગડવાના કારણો:
આપણો આહાર - ખોરાક એ આરોગ્યને સીધી અસર કરે છે.
'જેવું આપો, તેવું મળે' - એ એક જીવનની હકીકત છે, તે આપણા આહાર અને આરોગ્યને સચોટ રીતે લાગુ પડે છે. મતલબ કે, શરીરને જેવું આપશો, તેવું શરીર તમને આપશે!
👉બેઠાડુ જીવન
👉અશુદ્ધ ખોરાક - વાસી, બગડી ગયેલ આહાર
👉વધારે પડતી ખાંડનો વપરાશ
👉વધારે પ્રોસેસ કરેલા ખોરાક
👉અપૂરતો આરામ
👉કામનો તણાવ
જેમ કોઈ બીમારી માટે સમયસર સારવાર લેવી જરૂરી છે, તેમ હળવી કસરત કરવી અને ખાવા-પીવામાં પરહેજ પાળવી એ પણ સારવારનો જ ભાગ છે.
શારીરિક આરોગ્યને સુધારવાના ઉપાયો:
👉નિયમિત ચિકિત્સા
👉હળવી કસરત - ચાલવા જવું
👉ઘરે બનાવેલ ખોરાક
👉તાજો અને પૌષ્ટિક આહાર
👉નહિવત તેલનો ઉપયોગ
👉ખાંડ - એક દિવસમાં ૧ ચમચીથી ઓછી
👉મૈંદા નો ઉપયોગ બંધ
👉પેકેટો બંધ
શારીરિક આરોગ્ય વિષે તો આપણે થોડા સજાગ થયા છીએ, પરંતુ માનસિક આરોગ્ય વિષે વાત કરવી પણ આપણા સમાજમાં એટલી સામાન્ય નથી - સારવાર લેવી તો બાજુ પર રહી.
હકીકતે - માનસિક આરોગ્ય અવધારે અગત્યનું છે, બહુ સંવેન્દનશીલ છે શારીરિક આરોગ્ય કરતા.
માનસિક આરોગ્ય બગડવાના કારણો:
👉દેખા-દેખીમાં ગજા ઉપરના ખર્ચાઓ - આર્થિક તણાવ
👉સામાજિક જવાબદારી - કુટુંબિક તણાવ
👉ધંધામાં નુકસાની - અસફળતા
👉લગ્નજીવનની સમસ્યાઓ - જીવનસાથી વિવાદ
👉જીવનની ઘટના - આપ્તજનને ગુમાવ્યાનો શોક
👉અપૂરતો આરામ
👉કામનો તણાવ
માનસિક આરોગ્ય સુધારવા માટે, માનસિક તણાવને દૂર કરવા જરૂરી છે. માનસિક તણાવ ભલે 'ક્લિનિકલ ડિપ્રેસન' કહેવાય એટલો વધારે ના હોય, પણ શરુ થતા જ નિયંત્રણ કરવું જરૂરી છે.
માનસિક તણાવને દૂર કરાવના કે ઓછા કરવાના ઉપાયો:
✌જે આપણા હાથમાં નથી, તેની ચિંતા ના કરવી
✌ભજન અને સેવા દ્વારા મનને શાંત કરવું
✌શીત પ્રકૃતિ વળી ચા નો ઉપયોગ કરવો - જેવી કે કેમોમિલે ચા, લીલી એલચી ચા
✌યોગા કરવા, પાર્કમાં ચાલવા જવું, હળવી કસરત કરવી
✌મનપસંદ પ્રવૃત્તિ કરવી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો