ઉપવાસ - ફાયદાઓ અને ગેરફાયદાઓ!

હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે અને ઉપવાસના દિવસો પણ. 

પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું મહત્વ ચાલ્યું આવે છે. હા, સમય જતા ઉપવાસનો અર્થ જ બદલાય ગયો છે. શરીરના શુદ્ધિકરણ માટે શરુ થયેલા ઉપવાસને શરીર ને બગાડવાનું કારણ બનાવી દીધો.



 ઉપવાસના ફાયદાઓ - આયુર્વેદ પ્રમાણે 

👉 આયુર્વેદ આચાર્યોએ જાણ્યું કે માનવ વિભિન્ન રોગોનો ભોગ બનાવ લાગ્યો, તેને આરોગ્ય શાસ્ત્ર - એટલે કે આયુર્વેદ ની રચના કરી. 

👉 માનવ શરીર ત્રણ દોષો ધરાવે છે: કફ, વાત અને પિત્ત. જે સંતુલનમાં રહીને શરીરને જરૂરી ઉર્જા પુરી પડે છે.

👉 મોટા ભાગના રોગોનું કારણ એ અસંતુલિત દોષો છે તે સમજાયું અને એ દોષોના નિવારણ માટે, ઉપવાસ - એટલે કે આજના સમય પ્રમાણે 'ડેટોક્સ ડાયેટ ડે' ની જરૂરિયાત સમજાઈ. 

👉 એ દોષોને સંતુલિત કરવા, એક દિવસ ફક્ત પાણી અને ફળો કે ફળોના રસ ઉપર જ પસાર કરવો.  

👉 જેથી શરીરને બધી અશુદ્ધિ નિકાલ કરવાનો સમય મળે. આંતરડું સાફ થાય અને ખોરાકમાંના પોશાક તત્વોને શોષાવા સક્ષમ બને. 

👉 પરિણામ સ્વરૂપે અસંતુલિત દોષો સંતુલિત થાય અને પ્રકૃતિ પ્રમાણે કામ કરે.

👉 ઉપવાસનું સાચું મહત્વ - દિવસ ફક્ત પાણી, ફળો અને ફળોના રસ ઉપર કાઢવામાં છે. 

👉 સાથે કોઈ ફરાળી વાનગી જેમાં ઓછું તેલ, ઘી અને ખાંડ હોય  - જેવી કે સાબુદાણાની ખીચડી નહિવત તેલ સાથે - લઇ શકાય.

ઉપવાસના ફાયદાઓ  - તર્ક પ્રમાણે 

👉 વરસો પહેલા (અને હજુ પણ - જે લોકોને  બાઈ રાખવી નથી પરવડતી), રસોઈની જવાબદારી સ્ત્રીઓ ઉપર જ હોય છે. 

👉 રસોઈની તૈયારીથી લઇ ને જમ્યા પછીની સફાઈ - મોટા ભાગનું કામ સ્ત્રીઓની જવાબદારી છે. મોટા ભાગના ઉપવાસના દિવસો એ તહેવારના અને ખાસ પૂજાના દિવસો હોય છે. 

👉 આપણી સંસકૃતી પ્રમાણે, ગ્રહસ્થ લોકો બધી પૂજા સજોડે એટલેકે પત્ની સાથે કરે છે.

👉 આથી ઉપવાસ કરવાથી, ઘરની સ્ત્રીઓનું અડધું કામ ઘટી જાય અને સ્ત્રીઓ પણ પૂજાપાઠમાં ભાગ લઇ શકે.

👉 ધાર્મિક અને આદ્યાત્મિક કાર્ય કર્યાનો સંતોષ તો છે જ, આરોગ્યને થતા ફાયદાઓ અને સ્ત્રીઓને પૂજા-પાઠ માટે મળતા સમય સિવાય.

ક્યાં છે એ હેતુ - આજકાલના 'સોશ્યલ મીડિયા' ઉપવાસ માં ??

👉 ઉપવાસની તૈયારી ઘણા દિવસો પહેલા શરુ થઇ જાય. 

👉 સાથે સાથે: કયા પ્રસિદ્ધ મંદિરે દર્શન કરવા જવા છે અને શું પહેરીને જવું છે, ક્યાં એન્ગલે સેલ્ફી લેવી - એનું પ્લાંનિંગ પણ.

👉 ફરાળી લોટ,  બીજી સામગ્રીની, અને કપડાં-આભૂષણોની ખરીદી પણ ચાલુ થઇ જાય.

👉 ઉપવાસના દિવસે, સવારે ચા સાથે ફરાળી પુરી નાસ્તામાં હોય.

👉 સવારથી જ ગૃહિણી ફરાળી વાનગીઓ બનાવવામાં લાગી જાય. 

👉 બપોરે તો જમણવાર જેવું હોય, પુરી થાળી ભરી હોય ભાત-ભાતની વાનગીઓથી - બધી તેલ - ઘી થી ભરપૂર અને ખાંડથી બનેલી મીઠાઈઓ. 

👉 અને આ બધી ભારે વાનગીઓ સાથે ભારતની ઉનાળાની ગરમી અને ભેજ! 

👉 સાંજ પડે એટલે આજુ-બાજુના મંદિરોમાં ઘસારો ચાલુ થાય, દર્શન થાય તો થાય પણ સેલ્ફી સરસ લેવાય. 

👉 અને આટલું તૈયાર થયા પછી ઘરે જઈને રસોઈ તો ન જ બનાવાય ને ? 

👉 રસ્તામાંથી જ ફરાળી પેટીસ અને આઈસક્રીમ લેતા જવાનું.

આમાં 'ઉપવાસ' તો ક્યાંય ગોત્યો પણ ન જડે!

'સોશ્યલ મીડિયા' ઉપવાસથી થતા નુકસાન

👉 ભૂખ્યા પેટે વધારે તેલ વાળી વાનગીઓ લેવાથી કોલેસ્ટોરેલ વધારે છે. હૃદયની બીમારીઓને આમંત્રણ આપે છે. 

👉 એક દિવસમાં એક ચમચી થી વધારે ઘી લેવું હાનિકારક છે.

👉 ખાંડ આધારિત મીઠાઈઓ એ બધામાં વધારો કરે છે, ખાંડ શરીરમાં રહેલા કોઈ ચેપ કે રોગને વેગ આપે છે. 

👉 ફૅટથી ભરપૂર ખોરાક શરીરને વધારે ફેટ સંગ્રહ કરવા મજબૂર કરે છે. 

👉 વધારાની ઉર્જા વજન વધારામાં પરિણમે છે.

👉 ભૂખ્યા રહેવાથી અને એકી સાથે વધારે જમવાથી - બ્લડ સુગર વધ-ઘટ થાય છે જે ડાયાબીટીશ વાળા લોકો માટે જોખમી છે.

ઉપવાસના ફાયદા કેવી રીતે વધારી શકાય ?

ઉપવાસના દિવસે લેવાતા વધારે પડતા તેલ-ઘી અને ખાંડને ઓછા કરીને એને થોડા-ઘણા આરોગ્યદાયક બનાવી શકાય. ઉપવાસમાં (એક માણસ માટે): 

👉 ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.

👉 સવારમાં ચા - કોફીથી દિવસની શરૂઆત કરતા હોઈ તો - ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું.

👉 સવારના ભોજનમાં ફળો, અને નટનું પ્રમાણ વધારે રાખવું.

👉 બપોરના ભોજનમાં - ફરાળી વાનગીઓમાં તેલનું અને ખાંડનું પ્રમાણ નહિવત, સ્ટાર્ચી વેજિટેબલનું પ્રમાણ એક કપ (બાફેલા) થી ઓછું અને ઘીનું પ્રમાણ ૨ ચમચીથી ઓછું રાખવું. 

👉 ફરાળી લોટને અડધા કપ થી ઓછા લેવા.

👉 જરૂર હોય તો મીઠાસ માટે ખાંડ ને બદલે ૨ ખજૂર વાપરી શકાય.

👉 સાંજે હળવા નાસ્તા જેવું જ લેવું, જેવુંક  દૂધ - નટ અને ખજૂર (૧-૨ જ) સાથે.

તમારો અભિપ્રાય જણાવો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય