'ડ્રાય ગુજરાત' ખરેખર ડ્રાય છે?

 


ગુજરાત ડ્રાય રાજ્ય કેમ છે?

જયારે ગુજરાત એક રાજ્ય ન હતું અને એ મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે સંપૂર્ણ મુંબઈ રાજ્ય દારૂ મુક્ત હતું.

૧૯૬૦માં જયારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે મહારાષ્ટ્ર રાજ્યએ દારૂ પરમીટ આપવાનું ચાલુ કર્યું, અને ગુજરાત રાજ્યએ ગાંધીજીના સિદ્ધાંતોને માન આપીને ગુજરાતને દારુમુક્ત એટલે કે 'ડ્રાય સ્ટેટ' જ રાખ્યું.

એ સમય પ્રમાણે એ કદાચ બરાબર હતું, પરંતુ હવે પરિસ્થિતિ વિપરીત થઇ ગઈ છે.

ગુજરાત ૧૯૬૦થી એક ડ્રાય રાજય છે એનો ગર્વ ઘણા બધા ગુજરાતી લોકો લે છે, ખાસ કરીને સામાજિક આગેવાનો અને નેતાજનો! 

ડ્રાય રાજ્ય - એટલે કે ગુજરાતમાં દારૂ બનાવવા, વેંચવા કે વાપરવાની મનાઈ છે.

શું એ ખરેખર ડ્રાય છે? 

આપણે બધા જાણીએ છીએ કે આ દૂર-દૂર સુધી ક્યાંય શક્ય નથી. 

🥤 ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે અને એ મોટા ભાગના ગુજરાતીઓ જાણે છે - છતાં કઈ નથી કરતા.

🥤 છાશવારે છાપામાં ખબરો આવે છે, અહીં દારૂની ભઠ્ઠી પકડાઈ કે ત્યાં લઠ્ઠાકાંડમાં લોકો મર્યા. 

🥤 અહીં દારૂ ભરેલી ટ્રક પકડાઈ કે પોલીસે આટલા લાખનો દારૂ પકડ્યો.

🥤 કે અહીં અશુદ્ધ દારૂથી ૩૦-૫૦ લોકોને દવાખાને દાખલ કર્યા. 

આવા  સમાચારો દર બીજા વીકે જોવા મળે છે, આ તો થઇ જે છાપે ચડે એની વાત - એવા તો કેટલાય નાના હાદશાઓ થતા રહે છે જે બહાર નથી આવવા દેતા.

આ બધું વિચારતાંતો લાગે છે કે ગુજરાત ડ્રાય નથી, ડાય (કરે) છે, મરી રહ્યું છે - અંદર અને અંદર.

૧૯૬૦ થી આજ સુધી, દારૂબંધીએ ઘણા લોકોને વ્યસનથી બચાવ્યા, એ સમય જુદો હતો. 

તે સમયે લોકો કાયદાનું પાલન કરતા હતા અને એટલા ચાલાક ન હતા કે જે નવી-નવી તરકીબો વાપરી કાયદાનું ઉલ્લંઘન કરે.

દાબેલી સ્પ્રિંગ વધારે છટકે - એ અહીં પણ સાચું હોય તેવું લાગે છે. 

દારૂબંધી છે એટલે જ વધારે પીવે છે. કોઈ રોફ જમાવવા, તો કોઈ સતા બતાવવા તો કોઈ વળી સ્ટેટ્સ માટે.

શું લાગે છે? 

આ બધો દારૂ વહેંચાય છે એ હમેંશા નેતાઓ કે અધિકારીઓની જાણ બહાર થાય છે? 

નહીં! 

એ પકડાયેલા ટ્રકમાંથી એક-એક બોક્સ ઘણી જગ્યાએ ઉતારતા આવ્યા હોય, મોઢું અને આંખ બંધ રાખવા માટે તો કોઈ પ્રમાણિકતાને મારવા માટે.

દારૂબંધીથી નુકસાન વધારે થાય છે ફાયદા કરતા

છુપી રીતે દારૂ મળતો હોવાથી, કોઈ વયમર્યાદા નથી પળાતી - નવયુવાનોને બેરોકટોક મળે છે અને પીવે પણ છે.

બરોબર આવતો અને વહેચાતો હોવાથી સરકારને ટેક્સ નથી મળતો 

ગુનાખોરીથી મળતો હોવાથી ભાવ પણ બહુ વધારે હોય છે

છુપી રીતે બનતો હોવાથી, ગુણવત્તાની ચકાસણી નથી થતી

નાના અડ્ડાઓ પ્રમાણિત ના હોવાથી, અધૂરા જ્ઞાન સાથે - ભળતા પદાર્થો વાપરે છે 

આલ્કોહોલ ધરાવતા ભળતા પ્રવાહીઓનો ઉપયોગ ઘાતક થઇ શકે 

આ બધી દુર્ઘટનાઓ અને ગુનાઓ નિવારવા - ઘટાડવા, દારુબંધીને દૂર કરવાનું કેમ ના વિચારાય?

⌛દારૂને કાયદેસર કરી શકાય

ડબલ ટેક્સ ઉમેરીને વહેચવાની છૂટ કરી શકાય, દારૂના વિતરણ અને વહેંચાણમાં બહુ વધારે ટેક્સ ઉમેરી શકાય 

નાના ઉત્પાદન એકમોને કાયદાનું પાલન કરીને ગુણવતા વાળો દારૂ જ બનાવવા અને વેચવાની છૂટ આપી શકાય 

દારૂ વય મર્યાદાને વધારે સખત રીતે પાલન કરી શકાય 

શક્યતા છે? 

દારૂબંધી હટાવીને ગુજરાતને બચાવવાની?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય